મુચરકાને બદલે રકમ અનામત મૂકવા બાબત - કલમ : 490

મુચરકાને બદલે રકમ અનામત મૂકવા બાબત

કોઇ ન્યાયાલય કે અધિકારી કોઇ વ્યકિતને જામીન સહિતનો કે વિનાનો મુચરકો અથવા જામીનખત કરી આપવનું ફરમાવે ત્યારે આવા ન્યાયાલય અથવા અધિકારી સારા વતૅન માટેનો મુચરકો હોય તે સિવાય મુચરકો કરી આપવાને બદલે પોતે નકકી કરે તેટલી રોકડી રકમ કે તેટલી કિંમતની સરકારી પ્રોમીસરી નોટ અનામત મૂકવાની પરવાનગી આપી શકશે.